મોરબી: લોક અદાલતમાં 2214 કેસોનો નિકાલ
કુલ 2629 પેન્ડિગ કેસોમાંથી ભરણ પોષણ, ચેક રિર્ટન ઇલેકટ્રિસીટી સહિત 1903 કેસોનો નિકાલ કરાયો
મોરબીમાં આજે પેન્ડિગ કેસોનો ઝડપી રીતે નિકાલ કરવા માટે આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2629 પેન્ડિગ કેસોમાંથી ભરણ પોષણ, ચેક રિર્ટન ઇલેકટ્રિસીટી સહિત 1903 કેસોનો નિકાલ કરાયો હતો. સાથો-સાથ 311 પ્રિ લીટીગેશન કેસનો પણ નિકાલ કરવામાં આવ્યો છે.
મોરબીમાં આજે લોક અદાલત યોજાઈ હતી.આ લોક અદાલતમાં ભરણ પોષણ, બેંક, ચેક રિટર્ન, ઇલેક્ટ્રિસિટી સાહિના કુલ 2629 પેન્ડિંગ કેસો રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી 1903 અને 311 પ્રી લિટિગેશન કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ રૂ. 4,06,59,824 રિકવરી કરવામાં આવ્યા હતા.