Placeholder canvas

વાંકાનેર: લીંબળામાં દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

વાંકાનેર : વાંકાનેરના લીંબાળામાં યુવાને કોઈ કારણોસર શરીરે કેરોસીન છાંટી જાત જલાવી લેતા પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. જ્યાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ યુવાને દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર-વાંકાનેરના લીંબાળામાં રહેતા ભરતભાઇ લધુભાઇ સીતાપરા (ઉ.વ-૩૫) નામનો યુવાન ગઇ તા ૪ ના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો ત્યારે પોતે કોઈ કારણોસર પોતાના શરીરે કેરોસીન છાંટી દાઝી જતા પ્રથમ સારવાર વાંકાનેરની સસરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. બાદમાં વધુ સારવાર અર્થે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો