Placeholder canvas

ટંકારા–જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓની અલગ પંચાયતની માંગ નામંજૂર

ટંકારા – જબલપુર વચ્ચે લટકતી સોસાયટીઓએ અલગ પંચાયતની બધી પ્રકિયા પુર્ણ કરી છતા અન્યાય સુવિધા અને સગવડ નો સૌ ગઉ નુ છેટું સ્થાનિક નેતાઓની નબળી પકડથી પ્રજાને પરેશાની જબલપુર ગામના રેવન્યુ સોસાયટીમાં વસેલી 17 સોસાયટીઓને પ્રાથમિક સુવિધા ન મળતા દયાનંદ સરસ્વતીને માન મળે એવુ આર્યગામ બનાવવા માંગ કરી હતી

ટંકારા : ટંકારા શહેરની ભાગોળે નહીં પરંતુ બોર્ડર ઉપર વસેલી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ધરાવતી જુદી-જુદી 17 સોસાયટીઓને શહેરી કે ગામડા પ્રકારની કોઈપણ જાતની પ્રાથમિક સુવિધાઓ ન મળતા નાસીપાસ થયેલા 1200 જેટલા રહીશો દ્વારા અલગ આર્યગામ ગ્રામ પંચાયતની રચના કરવા માંગ ઉઠાવી હતી અને 22 જેટલા અભિપ્રાય પોઝીટીવ ફાઈલ તૈયાર કરી આપી હોવા છતાં આ વખતે અલગ પંચાયત ન મળતા રહિશોમા રોષ ફાટી નીકળ્યો છે.

ટંકારા શહેરની બોર્ડર ઉપર એક રોડ ટપી જબલપુર ગામના રેવન્યુ સર્વે નંબર ઉપર છેલ્લા ઘણા વર્ષોથી (૧) હરીઓમનગર – ૧ (૨) હરિઓમનગર -૨ (૩) બાલાજી પાર્ક (૮) ક્રિષ્ના પાર્ક (૫) ધર્મભકિત સોસાયટી (૬) અયોધ્યાપૂરી સોસાયટી (૭) દેવનગર (૮) રાજધાની પાર્ક (૯) જામીનારાયણ નગર (૧૦) અવધ પાર્ક (૧૧) આર્યનગર (૧૨) પ્રભુનગર સોસાયટી (૧૩) સરદારનગર -૧ (૧૪) સરદારનગર -૨ (૧૫) સરદારનગર-૩ (૧૬) શ્યામ પાર્ક (૧૭) મહાલક્ષ્મી પાર્ક નામની સોસાયટીઓ વસવાટ પામી છે.

આ સોસાયટીઓની વસ્તીનું એકત્રીકરણ કરતા ૧૨૦૦ જેટલી વસ્તી થાય છે. અને હાલમાં જબલપુર ગામના એક નવાપરા વિસ્તાર તરીકે આ સોસાયટીઓને ઓળખ મળી છે. પરંતુ આજદિન સુધી અહીં વસવાટ કરતા લોકોને રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધાઓ મળી નથી . જેને પગલે ઉપરોક્ત સોસાયટીઓના રહીશોએ અલગ આર્ય ગામની રચના કરવા માંગ ઉઠાવી પ્રાથમિક સુવિધાઓ આપવા અવાજ ઉઠાવ્યો હતો અને તંત્રની તમામ ગાઇડલાઇન અને કાગળના થપ્પા પુરા પાડવા છતા કોઈ કાર્યવાહી ન થતાં નારાજગી દર્શાવી છે.

રહિશ નાનજીભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ગામડેથી શહેરમાં સુખ સગવડ માટે હિજરત કરી તૈયાર મકાન છોડી ટંકારા આવ્યા પરંતુ સરકારી હદે અમારી બેહદ કરી મહા મુસિબતમા નાખી દીધા છે. માળિયા ને જો અલગ ગામ પંચાયત મળે તો ટંકારા ને કેમ નહી? અને અમો એ તો ગુજરાત નહી વિશ્વનું ગૌરવ દયાનંદ સરસ્વતીને શોભે એવુ નામકરણ ની માંગ કરી છે ત્યારે દયાનંદ અને આર્ય સમાજ નામે રાજકીય રોટલા શેકતા નેતાઓ ઉપર પણ ચાબખા માર્યા હતા.

આ સમાચારને શેર કરો