વાંકાનેર: કણકોટ પાસે ઇકોએ હાડફેટ લીધેલ વ્યક્તિમાંથી એક પરપ્રાંતીય મજૂરનું મોત
વાંકાનેર: તાલુકાના કણકોટ ગામ પાસે 3જી માર્ચે એક ઈકો કારે રોડની સાઈડમાં ઉભેલા વાડીના માલિક અને ત્રણ પરપ્રાંતીય મજૂર ને અડફેટે લીધા હતા તેમાંથી ત્રણને ઈજા થઈ હતી અને બે ગંભીર હતા.
આ બંને ગંભીર રીતે ઇજા થયેલા વ્યક્તિઓને રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી માંથી એક પરપ્રાંતીય મજૂર નું એક દિવસની સારવાર બાદ મોત થયું છે અને બીજા ગંભીર એટલે કે વાડીના માલિક ઈસ્માઈલભાઈ ભોરણિયા હજુ પણ કોમામાં છે.
જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તની પરપ્રાંતીય મજૂરની તબિયત સારી છે અને તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.