Placeholder canvas

રાહતના સમાચાર: વાંકાનેરના મૃતક વૃદ્ધનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો…

વાંકાનેર : વાંકાનેરના વૃદ્ધને અન્ય જૂની બીમારીની સાથે કોરોનાના શંકાસ્પદ લક્ષણો હતા અને તેમનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે મૃતકના સેમ્પલ લઈ કોરોનાના ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત થઈ છે.

આરોગ્ય વિભાગે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ,વાંકાનેરના 65 વર્ષના વૃદ્ધને જૂની બીમારીઓની સાથે શરદી, ઉધરસ, તાવની બીમારીઓ હોવાથી રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે આરોગ્ય તંત્રએ તકેદારીના ભાગરૂપે મૃતકના સેમ્પલ લઈને કોરોના રિપોર્ટ માટે જામનગર મોકલાવમાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં હજુ એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.

આ સમાચારને શેર કરો