હળવદ: જુના ધનાળા ગામના કોરોના સંક્રમિત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી જિલ્લામાં કોરોનાથી મૃત્ય પામનાર દર્દીની સંખ્યા 9
હળવદ : મોરબી જિલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થયુ છે. હળવદ તાલુકાના જુના ધનાળા ગામે પ્રથમ કોરોના પોઝિટિવ આવેલ વૃદ્ધનું આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.
હળવદ તાલુકાના જુના ધનાળા ગામે રહેતા અને ગામમાં ભગત તરીકેની છાપ ધરાવતા વિભાભાઈ મુગલભાઈ રબારી (ઉ.૫૯) ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા . તેમનુ આજે સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાદર્દીનો મૃત્યુનો આંક 9 પર પહોંચી ગયો છે.