Placeholder canvas

2 દિવસમાં ભારતમાં ચોમાસાનુ આગમન, ગુજરાતમાં ક્યાં અને ક્યારે એન્ટ્રી થશે? જાણવા વાંચો

હવામાન ખાતા (આઇએમડી) એ આજે ચોમાસાને લઈને મોટી જાહેરાત કરી છે. અંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર આઇલેન્ડ પર ચોમાસું ટૂંક સમયમાં આવી રહ્યું છે. ચોમાસું અંદાજે 16 મેની આસપાસ આંદામાન સમુદ્ર, આંદામાન નિકોબાર પહોંચશે. ભારત હવામાન ખાતા (આઈએમડી) ની આગાહી મુજબ ચોમાસું 15 મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આવી જશે. 16 મેની સાંજ સુધીમાં, દક્ષિણ-પશ્ચિમ અને તેની બાજુના પશ્ચિમ-મધ્ય ખાડીમાં ચક્રવાત તોફાન આવી શકે છે.

1 જૂનથી કેરાલામાં ચોમાસુ બેસી જશે

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ચોમાસું સામાન્ય તારીખોની તુલનામાં 3-7 દિવસ મોડું થશે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચોમાસાની સામાન્ય શરૂઆત 23 જૂનથી 27 જૂન કરવામાં આવી છે. તેવી જ રીતે, મુંબઇ અને કોલકાતાની તારીખોમાં 10 થી 11 જૂન અને ચેન્નાઇમાં 1 થી 4 જૂન સુધીની તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.

ચક્રવાત ચોમાસાની પ્રગતિમાં કરશે મદદ

ચક્રવાત ચેતવણી વિભાગે જણાવ્યું હતું કે સિસ્ટમ સતત દેખરેખ હેઠળ છે અને સંબંધિત રાજ્ય સરકારોને નિયમિત પણે જાણ કરવામાં આવી રહી છે. ચક્રવાત આવી રહ્યું છે તે, ચોમાસાની પ્રગતિમાં મદદ કરશે, જે આ વર્ષે સામાન્ય રહેવાની સંભાવના છે.

કેરળમાં ચોમાસું 1 જૂનથી શરૂ થઈ શકે છે. જે બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતે દેશમાં ચાર મહિના સુધી વરસાદની મોસમ રહેશે. આ વર્ષથી, આઇએમડીએ 1960-2019ના ડેટાના આધારે દેશના ઘણા ભાગો માટે ચોમાસાની શરૂઆત અને પરત ફરવાની તારીખોમાં પણ સુધારો કર્યો છે.

મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડું

અગાઉની તારીખો 1901 થી 1940 સુધીના ડેટા પર આધારિત હતી. કેટલાક વર્ષોમાં ચોમાસાના આગમન અને સમાપ્તિમાં ફેરફાર થયો છે. આમાં લગભગ એક અઠવાડિયાનો તફાવત રહ્યો છે. ખાસ કરીને મધ્ય અને પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન 3 થી 7 દિવસ મોડું થશે.

આ સમાચારને શેર કરો