Placeholder canvas

વાંકાનેર માર્કેટ યાર્ડ 21મી સુધી બંધ રહેશે

વાંકાનેર : વર્તમાન ચાલી રહેલ રોગચાળો અને કોરોના મહામારીના કારણે વાંકાનેર માર્કેટ યાર્ડનું તમામ કામકાજ તા. 21ને મંગળવાર સુધી બંધ રહેશે. ત્યારબાદ પરિસ્થિતિ પ્રમાણે તા. 21ના રોજ નવી જાહેરાત કરવામાં આવશે.

જેમની વાંકાનેર માર્કેટ યાર્ડ સાથે સંલગ્ન તમામ ખેડૂતો, વેપારીઓ, દલાલો, વાહનચાલકો અને મજુરોએ નોંધ લેવા તેમજ નવા માલની ઉતરાઈ બંધ હોઈ નવો માલ નહિ લાવવા વાંકાનેર એ.પી.એમ.સી.ના સેક્રેટરીએ યાદીમાં જણાવેલ છે.

આ સમાચારને શેર કરો