Placeholder canvas

આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના 4 ઉમેદવાર જાહેર કર્યા.

આમ આદમી પાર્ટીના વાંકાનેર પ્રભારી આરીફ બ્લોચ ધારાસભ્ય પીરજાદા સામે ઉમેરવારી કરશે

આમ આદમી પાર્ટી જિલ્લા ઉપ પ્રમુખ તોફિક અમરેલીયા વાંકાનેર નગરપાલિકા વોર્ડ નંબર 4 માંથી ઉમેદવારી કરશે.

વાંકાનેર: આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને સમગ્ર ગુજરાતમાં તૈયારીઓ નો ધમધમાટ ચાલી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા પણ ચાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી વાંકાનેર તાલુકામાં એક જિલ્લા પંચાયત અને બે તાલુકા પંચાયત તથા એક નગરપાલિકાના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

એક વેબ ન્યૂઝ પોર્ટલમાં ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા એ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે આમ આદમી પાર્ટી જો ધારાસભ્ય પીરજાદા તાલુકા કે જિલ્લા પંચાયતની કોઈપણ સીટમાં ઉમેદવારી કરશે તો તેમની સામે મોહમ્મદ આરીફ દિનમહમ્મદ બ્લોચ ને ઉતારશે.

જાહેર કરેલ ઉમેદવાર

  1. મનસુખ ભાઈ સરવૈયા (મહિકા જિલ્લા પંચાયત)
  2. અર્જુનસિંહ વાળા (ગારીયા તાલુકા પંચાયત) 3.નફિસાબેન ઉસ્માનભાઈ દેકાવાડીયા (ચંદ્રપુર તાલુકા પંચાયત)
    4.તોફિક અમરેલીયા (વાંકાનેર નગરપાલિકા વોર્ડ ૪)
આ સમાચારને શેર કરો