Placeholder canvas

મમતા મરી પરવારી: કુવાડવા પાસે ત્રણ મહિનાના બાળકને કોઈ જાળીમાં મૂકી ગયુ.

108ની ટીમે બાળકને સારવાર માટે રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું.

કુવાડવા: રાજકોટ-અમદાવાદ હાઈવે પર કુવાડવા નજીક જાળીમાં અજાણી વ્યક્તિ ત્રણ મહિનાના બાળકને મૂકી ફરાર થઈ ગયો હતો. આસપાસના લોકોને જાણ થતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરવામાં આવી હતી. 108એ કુવાડવા પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બાળકને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમા સારવાર માટ ખસેડવામાં આવ્યું છે.

બાળકને શરદી અને તાવ હોવાથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયું
કુવાડવા પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાળકને તાવ અને શરદી હોવાથી 108ના EMT ધનજી પરમાર અને પાયલોટ પુનિત વ્યાસે બાળકને રાજકોટની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. લોકોએ બાળકને મૂકી જનાર અજાણી વ્યક્તિ પર ફિટકાર વરસાવી રહ્યાં છે. બાળકને મૂકી જનાર વ્યક્તિ કોણ છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે.

16 દિવસ પહેલા રાજકોટમાં મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું

16 દિવસ પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર નંદાહોલ પાસે આવેલી છગનબાપાની વાડીમાં ખેતમજૂરી કરતા ગેલાભાઈ ગાયોને હાંકવા ગયા હતા. આ સમયે અવાવરું જગ્યાએ એક ગોદડાનું પોટલું જોવા મળ્યું હતું. ગોદડાની અંદરથી એક મૃત નવજાત શિશુ મળી આવ્યું હતું. હેબતાઈ ગયેલા શ્રમિક ગેલાભાઇએ મૃત નવજાત શિશુ અંગે તુરંત 108ની ટીમને જાણ કરી હતી. નવજાત શિશુ મૃત હાલતમાં 108ની ટીમે ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. શિશુ મળ્યું તેના ચાર કલાક પહેલા જ તેનો જન્મ થયો હોવાનું 108 ટીમના ઈએમટીએ પોલીસને જણાવ્યું હતું.

આ સમાચારને શેર કરો