Placeholder canvas

કાંશીરામ સાહેબની 86મી જયંતિ નિમિતે વાંકાનેરમાં SSD દ્રારા રેલી,સલામી અને સભાનું આયોજન

વાંકાનેર: આવતીકાલે તારીખ 15 ના રોજ કાશીરામ સાહેબની 86મી જન્મ જયંતી ઉજવણી નિમિતે વાંકાનેર એસ એસ ડી દ્વારા રેલી, સલામી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે વાંકાનેર એસ.એસ.ડી. દ્વારા બહુજન સમાજ પાર્ટી (BSP)ના સ્થાપક,સમાજ સુધારક માન્યવર કાશીરામ સાહેબની 86મી જન્મ જયંતી નિમિત્તે એક રેલી, સલામી અને સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી આવતીકાલે સવારે 9 વાગ્યે આંબેડકરનગર ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈને રાતીદેવડી ગામ ખાતે પહોંચશે જ્યાં સભામાં ફેરવાશે આ રેલીમાં ટુ વ્હીલ, થ્રી વ્હીલ અને ફોર વ્હીલ વાહનો રહેશે.

વાંકાનેર એસ.એસ.ડી. દ્વારા તમામ બહુજન સમાજના લોકોને આ રેલીમા જોડાયને માન્યવર સાહેબને સલામી આપી મહાનાયક પ્રત્યેનું ઋણ અદા કરવાની અપીલ કરવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો