Placeholder canvas

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ, 28નાં મોત, કુલ સંક્રમિત દર્દી 6625 અને કુલ મૃત્યુઆંક 396

ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 380 કેસ નોંધાયા છે જ્યારે વધુ 28 દર્દીઓના મોત થયા છે અને 119 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6625 પર પહોંચી છે અને મૃત્યુઆંક 396 પર પહોંચ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.

આજે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી માત્ર અમદાવાદમાં 291 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા 16, સુરત 31, ભાવનગ- 6, આણંદ-1, ગાંધીનગર-4, પંચમહાલ 2, બનાસકાંઠા 15, બોટાદ 7, દાહોદ-2, ખેડા-1, જામનગર-1, સાબરકાંઠા-1, મહિસાગરમાં 2 કેસ સામે આવ્યા છે.

ભાવનગરમાં એકસાથે પાંચ પોઝિટિવ કેસ નોંધાયા

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં એકસાથે પાંચ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સજ્જ બન્યું છે.

ભાવનગરઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં એકસાથે પાંચ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સજ્જ બન્યું છે. જેમાં 2 કેસ પાલીતાણામાં છે જ્યારે ત્રણ કેસ ભાવનગર શહેરમાં છે. ભાવનગરમાં 18 વર્ષીય બે પુરુષ અને 13 વર્ષની બાળકીની રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાલિતાણામાં બે કેસ આવ્યા છે તેમાં 65 વર્ષીય પુરુષ અને 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે જ ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 81 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 5 લોકોનાં મોત નિપજ્યાં છે. ભાવનગરના પાલિતાણામાં બે કેસ નોંધાતા પોલીસ તંર્ અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પોઝિટિવ કેસ આવતાં પોલિતાણાના લીંબુવાડી વિસ્તારથી લઈને હવાઈમહેલ સુધીના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો