Placeholder canvas

ખેડુતો ચેતજો: લોધીકામાં વાડીમાંથી 27 મણ જીરૂની ચોરી..!!

લોધીકાના પાળ ગામે આવેલી દરબાર યુવકની વાડીમાં રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકી જીરૂની 9 બોરી કીમત 72900 ની ચોરી જતા વાડીમાલિકે લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના પાળ ગામે રહેતા ખેતીકામ કરતા રામદેવસિંહ જયુભા જાડેજા (ઉ.વ 35 ) નામનો દરબાર યુવક ચાલુ વર્ષે 19 વીઘાની જમીનમાં શિયાળુ પાક જીરાનું વાવેતર કરેલું હતું. જેમાં 30 મણ જીરું ઉતારી યુવકે 10 કંતાનની બોરીમાં ભરી વેચાણ અર્થે વાડીના પળમાં રાખેલું હતું. રાત્રીના સમયે દરબાર યુવકની વાડીમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકી 10 બોરીમાંથી 9 જીરાની બોરી કીમત રૂપિયા 72900 ની ચોરી કરી નાશી છૂટ્યા હતા. જે વહેલી સવારે વાડીના ભાગીદાર જાનકીભાઈને જાણ થતા વાડી માલિક રામદેવસિંહ જાડેજાને ફોન કરી જાણ કરી હતી. જે ચોરીના બનાવ અજાણ્યા તસ્કર સામે વાડી માલિક રામદેવસિંહ જાડેજાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ છે ખેડૂત ભાઈઓ ચેતી જવું કે તમારા ખેતીમા પેદા કરેલો કીમતી પાક વાડીએ રાખવો જરાપણ સલામતી ભર્યો નથી…

આ સમાચારને શેર કરો