Placeholder canvas

વાંકાનેર : અગાભી પીપળીયા અને સરતાનપર રોડ પર બે અપમૃત્યુના બનાવ

અગાભી પીપળીયા: ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના રહેવાસી સુરેશ ખેંગારભાઈ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાને ગઈકાલે બપોરના સુમારે કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડોકટરે યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે.

સરતાનપર: પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત
વાંકાનેરના સરતાનપર રોડ પરની એડોરેશન સિરામિક ફેકટરીમાં કામ કરતા અવધેશકુમાર શ્રીરામવિલાસ શાહની (ઉ.વ.૧૯) નામના યુવાન સરતાનપર રોડ પરની કમાન્ડર સિરામિક પાછળના પાણીના વોકળામાં ડૂબી જતા મોત થયું છે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ ચલાવી છે

આ સમાચારને શેર કરો