Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 18 કોરોના કેસ નોંધાયા, 16 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 13, વાંકાનેર તાલુકામાં 2, હળવદ તાલુકામાં 2 અને માળીયા તાલુકામાં 1 કોરોના કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 16 ઓક્ટોબરે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1015 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 18 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.આજના 18 કેસ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 2004 થઇ ગઈ છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 10
મોરબી ગ્રામ્ય : 03
વાંકાનેર સીટી : 01
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 02
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 18

આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીની વિગત

મોરબી તાલુકામાં : 13
વાંકાનેર તાલુકામાં : 01
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 16

આજે પણ મોરબી જિલ્લામાં એક કોરોના પોઝિટિવ દર્દીનું મૃત્ય થયુ છે પણ સત્તાવાર એક પણ કોવિડ ડેથ જાહેર નથી કરાયું.

આ સમાચારને શેર કરો