Placeholder canvas

મોરબી જીલ્લામાં વધુ ૧૬ કેસ પોઝીટીવ, ૩ દર્દીઓના મૃત્યુ

મોરબી જીલ્લામાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે જેમાં આજે વધુ ૧૬ કેસ પોઝીટીવ નોધાયા છે તો ૧૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે તેમજ ૩ વ્યક્તિઓના અવસાન થયા છે.

મોરબી જીલ્લામાં નોંધાયેલ કેસમાં વાંકાનેરની વૃંદાવન સોસાયટીમાં રહેતા ૨૯ વર્ષના યુવાન, મોરબીની પખાલી શેરીમાં રહેતા ૫૫ વર્ષના મહિલા, ઓર્બીના વજેપર શેરી નં ૧૦માં રહેતા ૪૨ વર્ષના પુરુષ, મ્રોબીના બોધનગર નઝરબાગ નજીક રહેતા ૨૨ વર્ષની યુવતી, મોરબીના નવલખી રોડ પર આવેલ અક્ષરધામ પાર્કમાં રહેતા ૩૯ વર્ષના પુરુષ, મોરબીની કરિયા શેરીમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધ, હળવદના સોનીવાડ વિસ્તારમાં રહેતા ૮૯ વર્ષના વૃદ્ધ, મોરબીની પખાલી શેરીમાં રહેતા ૫૫ વર્ષના મહિલા, મોરબીના પટેલ કન્યા છાત્રાલય રોડ પર રહેતા ૬૦ વર્ષના મહિલા, મોરબીના અમરનગર ગામે રહેતા ૪૦ વર્ષના પુરુષ, મોરબીના ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ પર રહેતા ૩૫ વર્ષના પુરુષ, મોરબીના મકરાણીવાસ દરગાહ નજીક આવેલ રતનવિલામાં રહેતા ૬૮ વર્ષના પુરુષ, મોરબીના જુના આમરણ ગામે રહેતા ૩૦ વર્ષના પુરુષ, વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં રહેતા ૭૭ વર્ષના પુરુષ, વાંકાનેરમાં મોર્ડન સિનેમા પાછળ રહેતા ૩૭ વર્ષના પુરુષ અને હળવદના નવા ઈશનપુર ગામે રહેતા ૪૯ વર્ષના પુરુષને કોરોનો પોઝીટીવ રીપોર્ટ આવ્યો છે

આ સમાચારને શેર કરો