Placeholder canvas

નવી રાતિદેવળી: પ્રાથમિક શાળામાં 150મી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

વાંકાનેર તાલુકાના રાતિદેવળી ગામાની નવી રાતીદેવડી પ્રાથમિક શાળા માં આજે બીજી ઓક્ટોબરના રોજ ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.

ગાંધી જયંતી નિમિતે સ્કૂલમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાં વકૃત્વ સ્પર્ધા તેમજ ખાસ કરીને નરસિંહ મહેતા રચિત અને ગાંધીજીને ખૂબ જ પ્રિય એવું ભજન “વૈષ્ણવજન તો તેને કહીએ…” નું ગાન કરવામાં આવ્યુ હતું. જ્યારે સ્કૂલના શિક્ષકો દ્વારા ગાંધીજીના પ્રેરક પ્રસંગો વિશે વાત કરીને જીવનમા ગાંધી મુલ્યો ઉતારવાની શિખ આપી હતી. આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પ લેવડાવ્યા હતા.

વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં એક રેલી કાઢવામાં આવી હતી અને ગામમાં પડેલો પ્લાસ્ટિકનો કચરો વિદ્યાર્થીઓ એકત્રિત કરી અને ગામની મુખ્ય બજારોમાં સાફ-સફાઈ કરીને ગ્રામજનોને સફાઈ અને પ્લાસ્ટિક મુક્ત ભારતનો મેસેજ આપ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો