Placeholder canvas

તીથવા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારનો પોતાના મતક્ષેત્રમાં ચૂંટણી પ્રવાસ: લોક આવકાર

વાંકાનેર: સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેરમાં આવતી ૬ બેઠક પૈકીની તીથવા જિલ્લા પંચાયત બેઠકનાં ભાજપના ઉમેદવાર નૂરજંહાબેન ઈસ્માઈલભાઈ કડીવારે પોતાના મતક્ષેત્રમાં ચૂંટણી પ્રવાસ કર્યો…

આ ચૂંટણી પ્રવાસ દરમિયાન તેઓ આગેવાનોને વ્યક્તિગત અને યુવા કાર્યકરોની ગ્રૂપ મીટિંગ કરી હતી, દરેક આગેવાનો અને યુવા કાર્યકરોને ચૂંટણી પ્રચાર કાર્યમાં લાગી જવાની તેઓએ અપીલ કરી હતી. જ્યારે આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા દરેક ગામમાં ભાજપના ઉમેદવાર નુરજંહાબેન ઇસ્માઇલભાઈ કડીવારને લોકોએ ખૂબ સારો આવકાર આપ્યો હતો અને તેમનો પ્રચાર કર્યો ઉપાડી લેવાની ખાતરી આપી હતી.

આ ચૂંટણી પ્રવાસમાં ઉમેદવારના પતિ ઈસ્માઇલભાઈ કડીવારે દરેક ગામના પ્રશ્નો વિશે માહિતી મેળવી હતી અને તેવો ચૂંટાઈ આવશે તો દરેક ગામના પ્રશ્નોના નિરાકરણ માટે તમામ પ્રયત્નો કરીને અને સ્થાનિક આગેવાનોને વિશ્વાસ રાખીને લોકોને વધુ સુવિધા મળે અને ગામનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરશે તેવી ખાતરી આપી હતી.

આ સમાચારને શેર કરો